શુક્રવાર, 26 ઑક્ટોબર, 2018

પીળી કોઠી





પ્રસ્તાવના 

મિત્રો મારા માતા-પિતાએ મારામાં વાંચન નો શોખ ખીલવ્યો અને મને વડોદરામાં માંડવી અને હંસા મહેતા જેવા પુસ્તકાલય મળ્યા જ્યાં મેં મારી વાંચનની ક્ષુધા મિટાવી.


ઘણા વર્ષો પહેલા એક તંત્ર-મંત્ર ને લગતું પુસ્તક મારા હાથમાં આવ્યું હતું અને મે મારા વાંચનના શોખને લઈને તે વાંચી લીધી. તેમાં આ એક સિદ્ધિ “પરકાયા પ્રવેશ” વિષે ઘણું બધુ લખાયેલું હતું. બસ ત્યારથી મારા મનમાં પીળી કોઠી નું બીજ રોપાયું. વર્ષો વીતી ગયા બીજી બધી કોઈ યાદ રહી નહીં પણ વાર્તા નું બીજ મારા મનમાંથી નિકળ્યું નહીં અને તેની પૂર્તિ માટે રચના થઈ પીળી કોઠીની.

 “જાંબુ”

(શૈલેષકુમાર મોતીલાલ પરમાર)
 


  પીળી કોઠી

એક તાંત્રિક આ પૃથ્વી પર રાજ કરવા ની ઇચ્છાથી સાધના કરીને અનેક લોકોની બલી ચઢાવે છે પણ તેની આ મનસા જાણી ગયેલ એક પંડિત પોતાનું બલિદાન આપીને તાંત્રિક ની સાધના વિફળ બનાવે છે. સાધના વિફળ થવાથી તાંત્રિક એક શ્રાપિત, એક અતૃપ્ત આત્મા બની જાય છે અને સંસાર પર કહેર વરસાવે છે. એક પિતા પુત્રનું ઘર્ષણ છે, એક પુત્ર પોતાની માતા માટે, પોતાની પ્રેમિકા માટે પિતા સામે ઊભો થાય છે. એક ભાઈ પોતાની માનેલી બહેન માટે, તેના થનારા પતિને, પોતાના મિત્રને મદદ કરે છે.
આ બધુ જ છે મારી પીળી કોઠી માં, સરવાળે તમને બધાને મારી આ વાર્તા જરૂરથી ગમશે. આશા રાખું છું કે તમે બધા જ ખાસ કરીને મારા ગુજરાતી વાંચનના રસિકો મારી આ વાર્તાને સફળ બનાવશો.

2 ટિપ્પણીઓ:

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૯. નિરવની બગાવત

પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન : ૯ . નિરવની બગાવત મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર.   વહી ...